નવગુજરાત સમય > અમદાવાદ
-- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ
મંગળવારથી શરૂ થશે. સમગ્ર દેશમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૪.૯૯ લાખ અને ધોરણ-૧૨ની પરીક્ષા માટે ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. ધોરણ-૧૦ની પરીક્ષા બોર્ડ દ્વારા સ્કૂલ કક્ષાએ અને બોર્ડ કક્ષાએ લેવામાં આવતી હોઈ ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ કક્ષાની પરીક્ષા પસંદ કરતા હોય છે. સ્કૂલ કક્ષાની ધોરણ-૧૦ની પરીક્ષાનો પણ ૧૦ માર્ચથી પ્રારંભ થશે. આમ સ્કૂલ અને બોર્ડ કક્ષાના મળી કુલ ૧૪.૯૯ લાખ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં નોંધાયા છે. CBSE બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓનો મંગળવારથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. ગતવર્ષની સરખામણીમાં આ વખતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯.૧૨ ટકા અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨.૬૫ ટકાનો વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ધોરણ-૧૦માં CBSE બોર્ડ દ્વારા બે પધ્ધતિથી લેવામાં આવે છે. જેમાં બોર્ડ બેઝ્ડ એક્ઝામ અને સ્કૂલ બેઝ્ડ એક્ઝામનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેઝ્ડ એક્ઝામ પસંદ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. CBSE બોર્ડની ધોરણ-૧૦ની બોર્ડ બેઝ્ડ એક્ઝામ ૧ માર્ચથી શરૂ થશે અને ૨૮ માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે સ્કૂલ બેઝ્ડ એક્ઝામ ૧૦ માર્ચના રોજ શરૂ થશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં બંને પધ્ધતિમાં મળી કુલ ૧૪.૯૯ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાં ૮.૯૨ લાખ વિદ્યાર્થીઓ અને ૬.૦૬ લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગતવર્ષની સરખામણીમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯.૧૨ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-૧૨ની પરીક્ષા ૧ માર્ચથી શરૂ થશે અને ૨૨ માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-૧૨ની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ૬.૨૧ લાખ વિદ્યાર્થીઓ અને ૪.૪૬ લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યનો જે વિભાગમાં સમાવેશ થાય છે તેવા અજમેર વિભાગમાં ધોરણ-૧૦માં ૧.૬૭ લાખ વિદ્યાર્થી અને ધોરણ-૧૨માં ૧.૨૪ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. CBSEની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ-૧૨માં ઈગ્લિશ ઈલેક્ટિવ અને ઈંગ્લિશ કોરની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-૧૦માં મહત્વના ન કહી શકાય તેવા વિષયની પરીક્ષા છે. જ્યારે બીજા દિવસે ધો-૧૦માં સાયન્સની પરીક્ષા લેવાશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં સમગ્ર દેશના ૩૭૪૭ સેન્ટરની ૧૫૩૦૯ સ્કૂલનો ઉપયોગ કરાશે. જ્યારે ધોરણ-૧૦માં સમગ્ર દેશના ૩૩૫૭ સેન્ટરની ૧૦૧૨૧ સ્કૂલોમાં પરીક્ષા લેવાશે. અજમેર વિભાગમાં ધોરણ-૧૦માં ૫૧૭ સેન્ટરની ૧૯૧૭ સ્કૂલ અને ધોરણ-૧૨માં ૪૭૬ સેન્ટરની ૧૪૬૯ સ્કૂલમાંથી પરીક્ષા લેવાશે.
-- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ
મંગળવારથી શરૂ થશે. સમગ્ર દેશમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૪.૯૯ લાખ અને ધોરણ-૧૨ની પરીક્ષા માટે ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. ધોરણ-૧૦ની પરીક્ષા બોર્ડ દ્વારા સ્કૂલ કક્ષાએ અને બોર્ડ કક્ષાએ લેવામાં આવતી હોઈ ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ કક્ષાની પરીક્ષા પસંદ કરતા હોય છે. સ્કૂલ કક્ષાની ધોરણ-૧૦ની પરીક્ષાનો પણ ૧૦ માર્ચથી પ્રારંભ થશે. આમ સ્કૂલ અને બોર્ડ કક્ષાના મળી કુલ ૧૪.૯૯ લાખ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં નોંધાયા છે. CBSE બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓનો મંગળવારથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. ગતવર્ષની સરખામણીમાં આ વખતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯.૧૨ ટકા અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨.૬૫ ટકાનો વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ધોરણ-૧૦માં CBSE બોર્ડ દ્વારા બે પધ્ધતિથી લેવામાં આવે છે. જેમાં બોર્ડ બેઝ્ડ એક્ઝામ અને સ્કૂલ બેઝ્ડ એક્ઝામનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેઝ્ડ એક્ઝામ પસંદ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. CBSE બોર્ડની ધોરણ-૧૦ની બોર્ડ બેઝ્ડ એક્ઝામ ૧ માર્ચથી શરૂ થશે અને ૨૮ માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે સ્કૂલ બેઝ્ડ એક્ઝામ ૧૦ માર્ચના રોજ શરૂ થશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં બંને પધ્ધતિમાં મળી કુલ ૧૪.૯૯ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાં ૮.૯૨ લાખ વિદ્યાર્થીઓ અને ૬.૦૬ લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગતવર્ષની સરખામણીમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯.૧૨ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-૧૨ની પરીક્ષા ૧ માર્ચથી શરૂ થશે અને ૨૨ માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-૧૨ની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ૬.૨૧ લાખ વિદ્યાર્થીઓ અને ૪.૪૬ લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યનો જે વિભાગમાં સમાવેશ થાય છે તેવા અજમેર વિભાગમાં ધોરણ-૧૦માં ૧.૬૭ લાખ વિદ્યાર્થી અને ધોરણ-૧૨માં ૧.૨૪ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. CBSEની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ-૧૨માં ઈગ્લિશ ઈલેક્ટિવ અને ઈંગ્લિશ કોરની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-૧૦માં મહત્વના ન કહી શકાય તેવા વિષયની પરીક્ષા છે. જ્યારે બીજા દિવસે ધો-૧૦માં સાયન્સની પરીક્ષા લેવાશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં સમગ્ર દેશના ૩૭૪૭ સેન્ટરની ૧૫૩૦૯ સ્કૂલનો ઉપયોગ કરાશે. જ્યારે ધોરણ-૧૦માં સમગ્ર દેશના ૩૩૫૭ સેન્ટરની ૧૦૧૨૧ સ્કૂલોમાં પરીક્ષા લેવાશે. અજમેર વિભાગમાં ધોરણ-૧૦માં ૫૧૭ સેન્ટરની ૧૯૧૭ સ્કૂલ અને ધોરણ-૧૨માં ૪૭૬ સેન્ટરની ૧૪૬૯ સ્કૂલમાંથી પરીક્ષા લેવાશે.