- ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય
આ વર્ષે ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ લેનારાઓ માટે સેમેસ્ટર પદ્ધતિ રદ જ છે, તેની પરીક્ષા શાળા કક્ષાએથી જ લેવાશે
અમદાવાદ, સોમવાર
ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ધો. ૧૧-૧૨ના પ્રથમ બે સેમેસ્ટર પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષ પૂરતી સેમેસ્ટર પદ્ધતિ યથાવત રહેશે. જે મુજબ જે વિદ્યાર્થીઓએ આ બન્ને સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓએ ધો. ૧૨માં હવે ૩જા અને ૪થા સેમેસ્ટરની પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાશે. ચારેય સેમેસ્ટરમાં સરેરાશ માર્કસ મુજબ ટકાવારી ગણાશે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ખૂબ જ ઉતાવળથી અને મુર્ખામીભર્યો નિર્ણય કરી સેમેસ્ટર સીસ્ટમને જ રદ કરી નાખી હતી. તેમજ તેનો અમલ પણ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૃ કરી દીધો હતો. જેને લઈને રાજ્યભરમાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક વખત વાલીઓના ટોળાઓએ શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી સુધી એક વર્ષ પૂરતું સેમેસ્ટર સીસ્ટમ ચાલુ રાખવાની અપીલ કરી હતી.
સામાન્ય રીતે કોઈપણ મોટો શૈક્ષણિક અને નીતિ વિષયક નિર્ણય હોય તો એ આગળના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવતો હોય છે. પરંતુ સેમેસ્ટર સીસ્ટમમાં એવું ન થયું. આખરે ભુલ સમજાતા અને મેરોથોન મીટીંગો કર્યા બાદ સોમવારે રાત્રે આ વર્ષ પુરતો સેમેસ્ટર પદ્ધતિ રાખવાનો નિર્ણય કરાયો હતો.
જેથી હવે આવા વિદ્યાર્થીઓનું મેરીટ પણ હાલની સેમેસ્ટર સીસ્ટમ મુજબ સેમેસ્ટર ૧ થી ૪નું ગણાશે. જે વિદ્યાર્થીઓએ જૂન- ૨૦૧૬થી ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હોય તેમના માટે તો સેમેસ્ટર સીસ્ટમ રદ જ છે. તેમની છ માસિક અને વાર્ષિક પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૮થી ધો. ૧૨ની વાર્ષિક પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાશે અને તેનું જ મેરીટ ગણાશે. ધો. ૧૧ અને ધો. ૧૨ના અભ્યાસક્રમોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.
NEE માટે ખૂટતો અભ્યાસક્રમ ધો. ૧૧ અને ધો. ૧૨માં પૂરક પુસ્તિકા દ્વારા વિદ્યાર્થીઓને અપાયો છે. અત્રે નોંધનીય છે કે જે વિદ્યાર્થીઓએ તમામ સેમેસ્ટરની પરીક્ષા આપી છે તે પૈકી ગેરહાજર તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાશે.
વધુ એક મુર્ખામી : મેડીકલનાં વિદ્યાર્થીઓ ઈજનેરીમાં જઈ શકશે !!
અમદાવાદ, સોમવાર
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ શિક્ષણની જાણે ઘોર ખોદવા બેઠા હોય તેમ આડેધડ અને મનફાવે તેવા નિર્ણયો લઈ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે. પહેલા અણધારી રીતે સેમેસ્ટર પદ્ધતિ રદ કરી. હવે તેને એક વર્ષ માટે ચાલુ રાખી. સાથોસાથ ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં બી ગુ્રપ (મેડીકલ) સાથે માર્ચ ૨૦૧૬માં પાસ કરનારા વિદ્યાર્થીઓને ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવવો હોય તો ઓગસ્ટ ૨૦૧૬ના અંત ભાગમાં ગણિત વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. ઈજનેરી શાખામાં જવા વિદ્યાર્થીઓને તક આપવા માટે આવું નક્કી કરાયું છે. ગણિતનું પ્રશ્નપત્ર MCQ અને OMR પદ્ધતિનું રહેશે. ધો. ૧૧નાં અભ્યાસક્રમમાંથી ૧૦૦ અને ધો. ૧૨માંથી ૧૦૦ માર્કસનું આ પ્રશ્નપત્ર રહેશે.
આ વર્ષે ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ લેનારાઓ માટે સેમેસ્ટર પદ્ધતિ રદ જ છે, તેની પરીક્ષા શાળા કક્ષાએથી જ લેવાશે
અમદાવાદ, સોમવાર
ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ધો. ૧૧-૧૨ના પ્રથમ બે સેમેસ્ટર પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષ પૂરતી સેમેસ્ટર પદ્ધતિ યથાવત રહેશે. જે મુજબ જે વિદ્યાર્થીઓએ આ બન્ને સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓએ ધો. ૧૨માં હવે ૩જા અને ૪થા સેમેસ્ટરની પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાશે. ચારેય સેમેસ્ટરમાં સરેરાશ માર્કસ મુજબ ટકાવારી ગણાશે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ખૂબ જ ઉતાવળથી અને મુર્ખામીભર્યો નિર્ણય કરી સેમેસ્ટર સીસ્ટમને જ રદ કરી નાખી હતી. તેમજ તેનો અમલ પણ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૃ કરી દીધો હતો. જેને લઈને રાજ્યભરમાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક વખત વાલીઓના ટોળાઓએ શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી સુધી એક વર્ષ પૂરતું સેમેસ્ટર સીસ્ટમ ચાલુ રાખવાની અપીલ કરી હતી.
સામાન્ય રીતે કોઈપણ મોટો શૈક્ષણિક અને નીતિ વિષયક નિર્ણય હોય તો એ આગળના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવતો હોય છે. પરંતુ સેમેસ્ટર સીસ્ટમમાં એવું ન થયું. આખરે ભુલ સમજાતા અને મેરોથોન મીટીંગો કર્યા બાદ સોમવારે રાત્રે આ વર્ષ પુરતો સેમેસ્ટર પદ્ધતિ રાખવાનો નિર્ણય કરાયો હતો.
જેથી હવે આવા વિદ્યાર્થીઓનું મેરીટ પણ હાલની સેમેસ્ટર સીસ્ટમ મુજબ સેમેસ્ટર ૧ થી ૪નું ગણાશે. જે વિદ્યાર્થીઓએ જૂન- ૨૦૧૬થી ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હોય તેમના માટે તો સેમેસ્ટર સીસ્ટમ રદ જ છે. તેમની છ માસિક અને વાર્ષિક પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૮થી ધો. ૧૨ની વાર્ષિક પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાશે અને તેનું જ મેરીટ ગણાશે. ધો. ૧૧ અને ધો. ૧૨ના અભ્યાસક્રમોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.
NEE માટે ખૂટતો અભ્યાસક્રમ ધો. ૧૧ અને ધો. ૧૨માં પૂરક પુસ્તિકા દ્વારા વિદ્યાર્થીઓને અપાયો છે. અત્રે નોંધનીય છે કે જે વિદ્યાર્થીઓએ તમામ સેમેસ્ટરની પરીક્ષા આપી છે તે પૈકી ગેરહાજર તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાશે.
વધુ એક મુર્ખામી : મેડીકલનાં વિદ્યાર્થીઓ ઈજનેરીમાં જઈ શકશે !!
અમદાવાદ, સોમવાર
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ શિક્ષણની જાણે ઘોર ખોદવા બેઠા હોય તેમ આડેધડ અને મનફાવે તેવા નિર્ણયો લઈ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે. પહેલા અણધારી રીતે સેમેસ્ટર પદ્ધતિ રદ કરી. હવે તેને એક વર્ષ માટે ચાલુ રાખી. સાથોસાથ ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં બી ગુ્રપ (મેડીકલ) સાથે માર્ચ ૨૦૧૬માં પાસ કરનારા વિદ્યાર્થીઓને ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવવો હોય તો ઓગસ્ટ ૨૦૧૬ના અંત ભાગમાં ગણિત વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. ઈજનેરી શાખામાં જવા વિદ્યાર્થીઓને તક આપવા માટે આવું નક્કી કરાયું છે. ગણિતનું પ્રશ્નપત્ર MCQ અને OMR પદ્ધતિનું રહેશે. ધો. ૧૧નાં અભ્યાસક્રમમાંથી ૧૦૦ અને ધો. ૧૨માંથી ૧૦૦ માર્કસનું આ પ્રશ્નપત્ર રહેશે.